કર્મભૂમિ બેન્ગલુરૂ
આમ તો બેન્ગલુરૂ માં આવ્યાને સાડા ત્રણ વરસ વીતી ગયા છે. પણ હવે આ ગુજરાતી બ્લોગ માં પણ નિયમિત લખવા માટે કોઈ વિષય ની જરૂર હતી અને કર્મભૂમિ બેન્ગલૂરૂ થી જ શરૂઆત કરવી એના જેવું શુભ શું?
આપણે કશી નવી જગ્યાએ જઈએ ત્યારે આપણા થી તે નવી જગ્યા અને આપણી જગ્યા વચ્ચે સરખામણી થઇ જ જાય છે. તો જોઈએ બેન્ગલૂરૂ માં મને શું જાણવા મળ્યું!
૧) વરસાદ. કોઈ પણ સમયે શરુ થઇ જાય. તમે ઘરે થી નીકળો ત્યારે તડકો હોય અને હજી તો તમે રસ્તા માં અડધે પહોચ્યા હોવ ત્યાં તો વરસાદ શરુ થઇ ગયો હોય. પાછું પંદર વીસ મિનીટ માં તો શાંત પણ પડી જાય. સોફ્ટવેર એન્જીનીર થી ભરાઈ પડેલા બેન્ગલૂરૂ માં છત્રીઓ તો ઓછી જોવા મળે પણ વરસાદથી બચાવે તેવા જેકેટ તો સૌની પાસે હોય જ.
૨) બેન્ગલૂરૂ “ગાર્ડન સીટી” કહેવાય છે એટલે બગીચાઓ તો ઘણા જોવા મળે. પણ મોટા ભાગ ની જગ્યા એ ઘાસ પર બેસવાની મનાયી હોય છે. અને રાત્રે બગીચાઓ બંધ હોય છે, એટલે જમ્યા પછી ચાલવું હોય તો રોડ પર જ ચાલવું પડે.
૩) બેન્ગલૂરૂ માં સીટી બસ માં સ્ત્રીઓ પણ કંડાક્તર હોય છે. બસમાં સ્ત્રીઓ માટે આગળ ના ભાગ માં આરક્ષિત સીટ હોય છે, જો કોઈ પુરુષ બેસી જાય અને કોઈ સ્ત્રી આવે તો ઊભું થવું પડે!
૪) બે પ્રકાર ની દુકાનો બહુ છે: ફળો ના રસની અને દારૂની.
૫) પરમ્પરાગત કુટુંબો દરરોજ સવારે ઘર ની બહાર સાદી તો સાદી પણ રંગોળી જરૂર કરે છે.
૬) અહી ના લોકો ભેટ સોગાદ કે કોઈ પણ વસ્તુ આપતી વખતે જમણા હાથ નો ઉપયોગ કરે છે અને આપણે પણ કરવો જોઈએ.
૭) જે નામ “ત” કે “દ” થી પૂરું થતું હોય, તેની પાછળ લોકો “હ” લગાડી દે છે. જેમ કે મારું નામ નવનીથ થાય!
૮) જો તમે બેન્ગલૂરૂ માં પોતાના વાહન થી સફર કરવાના હોય તો આવવા અને જવા ના બંને રસ્તા માલુમ કરી લેવા કેમ કે મોટા ભાગ ના રસ્તાઓ વન-વે છે. જે રસ્તે આગળ જાવ તે રસ્તે પાછું ના અવાય!

